Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ડાબરની બે નવી પ્રોડકટસ લોન્ચઃ આયુર્વેદિક મેડિસિન્સનો પોર્ટફોલિયો વિસ્તાર્યો

 અમદાવાદઃ આધુનિક સમયના વપરાશકારોમાં આયુર્વેદને લોકપ્રિય બનાવવાના ધ્યેયના ભાગરૂપે વિજ્ઞાન આધારિત આયુર્વેદ કંપની ડાબર ઈન્ડિયા લિમિટેડે બે ક્રાંતિકારી આયુર્વેદિક પ્રોડકટ્સના લોન્ચની જાહેરાત કરી હતી. અમદાવાદમાં વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ એન્ડ આરોગ્ય એકસ્પોની પૂર્વ સંધ્યાએ કંપનીએ તંદુરસ્તીની પુનઃ સ્થાપના કરતું રત્નપ્રાશ અને હૃદયની કાર્યક્ષમતા વધારતી હૃદયાસવ લોન્ચ કર્યું હતું.

રત્નપ્રાશ એક આયુર્વેદિક મિશ્રણ છે જે સામાન્ય તંદુરસ્તી જાળવવા માટે ઉપયોગી છે અને શકિત, જોમ અને ઉત્સાહ પણ વધારે છે. સાચા મોતીના પોષકતત્વોથી ભરેલું રત્નપ્રાશ તમને આખો દિવસ સક્રિય રાખે છે. આ આખું વર્ષ કોઈપણ સિઝનમાં ઉપયોગમાં લઈ શકાય તેવું પ્રાશ છે કારણ કે તે તંદુરસ્તીને પુનઃ સ્થાપિત કરનારૃં છે અને શારીરિક જોમ તથા શકિતને વધારવામાં મદદ કરે છે.

(4:23 pm IST)