Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજ્યમાં કોરોનાના નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 35 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.090 :કુલ 8.16.577 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે વધુ 4.22.749 લોકોનું રસીકરણ કરાયું

વડોદરામાં 6 કેસ,સુરત અને વલસાડમાં 3-3 કેસ, અમદાવાદ, જામનગર અને રાજકોટમાં 2-2 કેસ, જૂનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 220 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  30 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 21ઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 35 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.577 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.22.749 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.37.54.301 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 220 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 214 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.577 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 21 કેસમાં વડોદરામાં 6 કેસ,સુરત અને વલસાડમાં 3-3 કેસ, અમદાવાદ, જામનગર અને રાજકોટમાં 2-2 કેસ, જૂનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:08 pm IST)