Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુરતમાં કરોડપતિ પરિવારની 12 વર્ષની વૈભવી લાઇફસ્‍ટાઇલ છોડીને સંયમના માર્ગે જશેઃ 9 વર્ષની વયે માસ ક્ષમણનું આકરૂ તપ 30 દિવસ કર્યુ હતુ

દિક્ષા ગ્રહણ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ

સુરત: શહેરમાં ફરી એકવાર દીક્ષા લેવાની મોસમ આવી છે. સુરતમાં કરોડપતિ પરિવારની 12 વર્ષની દીકરી વૈભવી લાઈફસ્ટાઈલ છોડીને સંયમના માર્ગે જવા નીકળવાની છે. માત્ર ચાર ધોરણ ભણેલી આન્સીએ જીવનના તમામ સુખ ત્યાગી દેવાનું નક્કી કરીને દીક્ષા લેવાનુ મન બનાવ્યું છે.

સુરતના કરોડપતિ હીરા વેપારીની 12 વર્ષની દીકરી લક્ઝુરિયસ લાઈફ છોડી દીક્ષા ગ્રહણ કરશે. ફરવાની શોખીન આન્સી નાની ઉંમરથી વિહાર કરશે. પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબ દ્વારા 400મી દીક્ષા આપવાનો કાર્યક્રમ યોજાવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આન્સી શાહે માત્ર ધોરણ 4 સુધીનો જ અભ્યાસ કર્યો છે. પરંતુ બાળપણથી જ તે સંયમના માર્ગે વળેલી હતી. 9 વર્ષની વયે માસ ક્ષમણનું આકરું તપ 30 દિવસ સુધી કર્યું હતું.  

(5:23 pm IST)