Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાત્રે નવસારીના વાંસદા પંથકમાં ફરી ભૂકંપના આંચકા : ઉપરા ઉપરી ત્રણ આંચકાથી લોકોમાં ભયનો માહોલ

8.30ની આસપાસ ઉપરા ઉપરી બે થી ત્રણ આંચકા અનુભવાયા

 

નવસારી: વાંસદા તાલુકામાં આજે રાતે ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આગળના ભૂકંપના આંચકા કરતા હાલ આવેલા આંચકાની તીવ્રતામાં વધારો થયો હતો. 8.30ની આસપાસ ઉપરા ઉપરી બે થી ત્રણ આંચકા અનુભવાયા હતા.

રાત્રે 8.30 કલાકે 2.0ની તીવ્રતાનો, 8.33 કલાકે 2.1ની તીવ્રતાનો અને 8.40 કલાકે 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાલ જાનહાનીના કોઇ સમાચાર નથી.

(10:42 pm IST)