Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

માતરના માછીએલમાં પશુ ચરાવવા બાબતે બબાલ: એક પર જીવલેણ હુમલો

માતર :તાલુકાના માછીએલમાં રહેતા રાણાભાઈ નાગરભાઈ ભરવાડ ગઈકાલે બપોરે સીમમાં ગાયો - બકરીઓ ચરાવતા હતા ત્યારે લાલજીભાઈ દાજી તેમજ અન્ય બે ઈસમોએ જઈ રાણાભાઈ ભરવાડને કહેલ કે તમે કોને પૂછીને અમારી સીમમાં ગાય - બકરીઓ ચરાવો છો અમારી સીમમાં ગાયો - બકરા ચરાવવા આવવું નહીં કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા એટલું જ નહીં રાણાભાઈ ભરવાડ અને તેમના સંબંધીઓને લાકડીઓથી મારમારી ઈજા કરી હતી. જેથી બૂમાબૂમ કરતાં આ ઈસમોએ આ વખતે તો તમે બચી ગયા છો બીજી વખત મળશો તો જીવતા નહીં રહો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

(5:09 pm IST)