Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમદાવાદ-મેમનગર શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં ચોપડા પૂજન, લક્ષ્મીપુજન, અન્નકુટોત્‍સવ

અમદાવાદઃ દિવાળીના સપરમાં દિવસે શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ મેમનગર ખાતે પૂ. શા.માધવપ્રિયદાસજી સ્‍વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્‍વામીની ઉપસ્‍થિતીમાં વહેલી સવારે શુભ ચોઘડીએ શાષાોકત વિધિ સાથે ચોપડા પુજન તથા લક્ષ્મી પુજન કરાયું હતું જેમાં પ૦૦ ઉપરાંત ભાવિકોએ પોતાના ચોપડાનું પુજન કર્યું હતું. ત્‍યારબાદ ૧પ૧ વાનગીઓનો અન્નકુટ ધરાવી ઠાકોરજીની માધવપ્રયિદાસજી સ્‍વામી અને પુરાણી ભકિતપ્રકાદાસજી સ્‍વામીએ આરતી ઉતારી દર્શન ખુલ્લા મુકયા હતા.  આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્‍વામીએ જણાવેલ કે ભારતીય સંસ્‍કૃતિ ઉત્‍સવ પ્રધાન છે. ભારતીય દરેક ઉત્‍સવો પાછળ આગવી ઇતિહાસ હોય છે. સમસ્‍ત આસો માસ ઉત્‍સવોથી ભરેલો છે. ધનતેરસ એ ધેનપુજન, ધનવન્‍તરી પુજન અને ધન શુધ્‍ધિનું પર્વે છ.ે રાવણનો સંહાર કરી ભગવાન રામચંદ્રજી અયોધ્‍યા પધારતા તેમના સ્‍વાગત માટે અયોધ્‍યા વાસીઓએ આજ દિવસે દિપમાળા પુરી સ્‍વાગત કરેલ. નરક ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી કૃષ્‍ણે રકાસુરનો સંહાર કર્યો હતો અને સોળ હજાર કન્‍યાઓના જીવનમાં જયોત જગાવી હતી પરિણામે દિપાવલીનું પર્વ સર્જાયું હતું. દિપાવલીનું પર્વ એટલે અંધકાર ઉપર પ્રકાશનું પર્વ, દિપ એ જ્ઞાનનું પ્રતિક છે. માણસ સત્તા, સંપતિ અને સાધનોથી નહી જ્ઞાનથી મહાન બની શકે છે.  ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થાય પણ જો સમજણ ન હોય તો તે સમૃધ્‍ધિ કયારેય સુખ આપતી નથી સંપત્તિ સાથે સરસ્‍વતીનો સંગમ થાય તો સોનામાં સુગંધભળે સંપત્તિ અને સરસ્‍વતીના સંગમથી મનુષ્‍ય પોતાના જીવનમાં શ્રેષ્‍ઠતમ લક્ષને સિધ્‍ધ કરી શકે છે. જો લક્ષ્મીનો ઉપયોગ કલહ અને કંકાસ સ્‍વાર્થ અને બીજાને પરેશાન કરવા માટે થાય તો તે લક્ષ્મી ઉલુકવાહીની છે અને એજ લક્ષ્મીનોઉપયોગ દીન દરિદ્રો અને અબોલ પ્રાણીઓના કલ્‍યાણ માટે થાય તો તે લક્ષ્મી ગરૂડગામિની છે.

(3:43 pm IST)