Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભાવનગર એરપોર્ટ ટર્મિનલનું બિલ્ડીંગ ૪૦ વર્ષ જુનુ-એરપોર્ટના રન-વે વધારવા શકિતસિંહ ગોહિલની રજુઆત

રાજકોટ,તા. ૧૨ : રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ભાવનગરના એરપોર્ટ ટર્મિનલનું બિલ્ડીંગ ૪૦ વર્ષ કરતા વધારે વર્ષ જુનુ છે. તેમજ એરપોર્ટનો રન-વે વધારવા મુદ્દે રજુઆત કરી છે.

શકિતસિંહ ગોહિલે પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, ભાવનગર ખાતેના એરપોર્ટ ટર્મિનલનું બિલ્ડીંગ ૪૦ વર્ષ કરતા વધારે વર્ષ જુનુ છે તેમજ એરપોર્ટનો રન વે વધારવો જરૂરી છે. આ અંગે માનનીય નાગરિક ઉડયન મંત્રીશ્રી ભારત સરકાર દ્વારા જમીન સંપાદન રાજ્ય સરકાર કરે અને ભાવનગર એરપોર્ટને ફાળવે તે માટે પત્ર લખેલ છે.

એરપોર્ટની આસપાસ મોટાભાગે સરકારી ખરાબાની જમીન છે તે તેમજ જરૂરી ખાનગી જમીન તાત્કાલીક સંપાદન કરી ભાવનગર એરપોર્ટના હવાલે મુકવામાં આવે તે માટે ભુપેન્દ્રભાઇ પટેલને અંતમાં શકિતસિંહ ગોહિલે અનુરોધ કર્યો છે.

(4:07 pm IST)