Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વડોદરાની MS યુનિવર્સિટીમાં સરદાર પટેલ પર શરૂ કરાશે સર્ટિફિકેટ કોર્સ 'અસરદાર સરદાર' નામનો કોર્સ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચલાવાશે

 

વડોદરાઃ આગામી 31 ઓક્ટોબરના રોજ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી આવી રહી છે. દિવસે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું પણ ઉદ્ઘાટન કરવાના છે. વડોદરાની પ્રખ્યાત મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સરદાર પટેલ પર એક વિશેષ સર્ટિફિકેટ કોર્સની જાહેરાત કરવામાં આવી છે

  દેશના લોખંડી પુરુષ એવા સરદાર પટેલ પર M.S. યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવનારો છે. 'અસરદાર સરદાર' નામનો સર્ટિફિકેટ કોર્સ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે.

 

(10:37 pm IST)