Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મહુધા તાલુકાના વડથલમાં ત્રણ સંતાનની માતા અગમ્ય કારણોસર ગૂમ

મહુધા: તાલુકાના વડથલમાં સાકારબેગ વજીરબેગ મીરજાના લગ્ન કૌશરબાનુ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન ત્રણ સંતાનો થયા હતા. આમ છતાં ગત તા. ૯-૧૦-૧૮ની સવારે કૌશરબેન (ઉંમર ૩૬ વર્ષ) બે દીકરીઓ અને એક દીકરાને ઘરે મૂકી ઘરેથી સવારે અલીણા પિયરમાં કોર્ટની મુદત હોઈ જવાનું કહી નીકળી હતી. બાદમાં ઘરે પરત આવેલ નહીં કે અલીણા પહોંચેલ નહીં. જેથી પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ મહિલાનો પત્તો લાગેલ નહીં. ત્રણ સંતાનોની માતા રહસ્ય રીતે ગુમ થતા તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ બનાવ અંગે આકારબેગ વજીરબેગ મીરઝાએ જાણ કરતા મહુધા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે. 

 

(5:09 pm IST)