Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પ્રદિપસિંહ જાડેજાને ઝેડ કેટેગરીનું સુરક્ષા ચક્ર

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સિક્યુરિટી વધારીને ઝેડ કેટેગરીની કરાઈ

ગાંધીનગર : રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને “Z” કેડરની સુરક્ષા અપાઈ છે. ગુપ્તચર વિભાગના ઇનપુટના આધારે રાજ્ય પોલીસવડાના આદેશથી સુરક્ષામાં વધારો કરાયો છે. સામાન્ય રીતે “Z” કેડરની સુરક્ષા તેને જ અપાય છે, જેની ઉપર આતંકી હુમલો અથવા તો નેશનલ થ્રેટ થવાની શક્યતાઓ રહેલી હોય તેમને જ આ સુરક્ષા આપવામાં આવે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફીયા પર આતંકી હુમલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો, ત્યારે નેતાઓ પર જોખમ વધતા તેમની સુરક્ષામાં વધારો કરાય છે. આ જ ક્રમમાં પ્રદીપ સિંહ જાડેજાને પણ સુરક્ષા અપાઈ છે અને તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.  પ્રદીપ સિંહ જાડેજા અમદાવાદના વટવા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી 12, 13 અને 14મી વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા છે. આ સાથે જ તેઓ હાલમાં ગુજરાત સરકારમાં ગૃહ વિભાગ, કાયદા મંત્રી અને સુરક્ષા મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે Z સુરક્ષા Z Securityમાં 22 સુરક્ષાકર્મી હોય છે. જેમાં પાંચ એનએસજી કમાંડો દરેક સમયે તેમની સાથે રહે છે. જેમાં આઈટીબીપી અને સીઆરપીએફના અધિકારીઓ સુરક્ષામાં લગાવે છે. આ Securityમાં Escorts અને પાયલટ વાહન પણ આપવામાં આવે છે. સાથે જ સ્થાનિક પોલીસને પણ તૈનાત કરવામાં આવે છે.

(9:57 pm IST)