Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

નવસારી જિલ્લામાં કોરોનાના 15 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1032 થઇ

ચીખલી તાલુકામાં 5 કેસ,નવસારી અને બીલીમોરા તાલુકામાં 3-3 કેસ,જલાલપોરમાં 2 કેસ અને વાંસદા અને વિજલપોરમાં એક એક કેસ

નવસારીમાં જિલ્લામાં વધુ 15 કોરોના પોઝીટીવના નોંધાતા જિલ્લામાં કુલ 1032 કેસ નોંધાયા છે.નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાના કેસોમાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી 8 થી 10 કેસો નોંધાઈ રહયા હતા. પરંતુ આજે કેસોમાં વધારો થયો છે.

  શનિવારે જિલ્લામાં વધુ 15 કેસો નોંધાયા છે. જેમાં ચીખલી તાલુકામાં 5, નવસારીમાં 3, બીલીમોરામાં 3, જલાલપોરમાં 2, વાંસદામાં 1 અને વિજલપોરમાં 1 મળી જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવનો  આંકડો 1032 ઉપર પહોંચ્યો છે. જોકે આજે બીજા દિવસે પણ કોરોનાને પગલે જિલ્લામાં કોઇપણ દર્દીનું મોત ન નીપજતા હાલ મોતનો આંકડો 96 ઉપર સ્થિર છે. જ્યારે આજે વધુ 7 દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 836 દર્દીઓ સાજા થયા છે. હાલ જિલ્લામાં કુલ 100 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.

(9:51 pm IST)