Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતના ઉમરવાડામાં સાસરિયાના દહેજ અંગેના ત્રાસથી કંટાળી પરિણીતાએ પિયરમાં જઈ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ઉમરવાડા સલીમનગરમાં રહેતી 19 વર્ષીય પરિણીતાએ બે દિવસ અગાઉ ઉમરવાડા ટેનામેન્ટમાં માતાના ઘરે જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રૂ.4 લાખ દહેજ પેટે માંગી પતિ અને સાસુ ત્રાસ આપતા હોય લગ્નજીવનના માત્ર નવ માસમાં 19 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરતા સલાબતપુરા પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરવાડા સલીમનગર ગોલદવાખાના પાસે રહેતા શેરખાન મોહમદખાન પઠાણની 19 વર્ષીય પત્ની સાહીસ્તાબીએ ગત ગુરુવારે સાંજે 6.35 કલાકે ઉમરવાડા ટેનામેન્ટ ડી-6. રૂ.નં.7 બ્લોક નં-ડી/ 6 માં રહેતી માતાના ઘરે જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લગ્નજીવનના માત્ર 9 માસમાં સાહીસ્તાબીએ આત્મહત્યા કરી લેતા સલાબતપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જયારે તપાસ એસીપી બી.એમ.વસાવાએ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે લગ્નના એક માસ બાદ સાહીસ્તાબીને પતિ શેરખાન અને વિધવા સાસુ બેબાબેન યેનકેન પ્રકારે બહાના બનાવી ગાળગલોચ કરી મારઝુડ કરી અવારનવાર દહેજ પેટે રૂ.4 લાખની માગણી કરતા હતા.

(5:29 pm IST)