Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઉમરેઠ તાલુકાના પરવટા નજીક પસારથતી માઈનોર કેનાલમાં પ્રેમી પંખીડાએ છલાંગ લગાવી મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો: અકસ્માતે મોતને ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ

ઉમરેઠ: તાલુકાના પરવટા નજીકથી પસાર થતી માઈનોર કેનાલના ગેટમાંથી આજે એકબીજાના હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં પ્રેમીપંખીડાની લાશો મળતાં સમગ્ર ઉમરેઠ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર લીંગડા ગામેથી પસાર થતી મહી કેનાલમાંથી થામણા તરફ જતી એક માઈનોર કેનાલ શરૂ થાય છે. આજે સવારના સુમારે વોચમેન પરવટા સીમમાંથી પસાર થતી માઈનોર કેનાલ પર ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે ગેટ પાસે યુવક અને યુવતીની લાશો જોતાં તેણે તુરંત જ ઉમરેઠ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને તરવૈયાઓની મદદથી બન્ને લાશોને બહાર કાઢીને તપાસ કરતાં એકબીજાના હાથે દુપટ્ટો બાંધેલો હતો. જેથી પ્રથમ દ્રષ્ટીએ જ બન્ને પ્રેમીપંખીડા હોવાનુ અને કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું મનાતુ હતુ. પોલીસે તપાસ કરતાં મરણ જનાર યુવાન ગૌતમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (ઉ. વ. ૨૪, રે. શીલી, નવાપુરા) અને યુવતી જીતપુરા ખાતે રહેતી કાજલબેન મહેશભાઈ ચૌહાણ (ઉ. વ. ૧૯)ની હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(5:54 pm IST)