Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

તલોદ-મહીયલ નજીક અંડરબ્રિજ પર તળાવમાં ઊગેલ વનસ્પતિને ખાવા જતા ગાયનો પાણીમાં ગરકાવ: રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી

તલોદ:તલોદ-મહિયલ ને અડીને આવેલા નવા અંડરબ્રીજ નજીકના તળાવમાં પડેલી અને તળાવમાં ઊગેલી વનસ્પતિમાં ફસાયેલી ગાયને તલોદ નગર પાલિકાએ બહાર કાઢી બચાવી હતી.

ભરબપોરે તલોદના ઔદ્યોગિક એકમ પાછળ, રેલવે ટ્રેક નજીક આવેલા તળાવના પાણીમાં એકગાય જઇ ચડી હતી. પાણીમાં તરવાને બદલે તે નકામી ઊગી નીકળેલી વનસ્પતિઓના વેલામાં ફસાઈને ફસડાઈ પડી હતી.

 બહાર નિકળવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે તેના ઉપર કેટલાક જીવદયા પ્રેમીની નજર પડતાં જ,તેઓએ પાલિકા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીને ઘટનાની જાણ કરી હતી.

(5:47 pm IST)