Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભરૂચમાં મકતમપુરના કુંડમાં પાણી ભરાઇ જતા ઝાડેશ્વર પાસેના કુંડમાં ગણેશ વિસર્જન કરવા અપીલ

ભરૂચઃ શ્રી ગણેશ વિસર્જન માટે નર્મદા બંગ્લોઝ,મકતમપુરના કુંડમાં પુરના પાણી ભરાઈ ગયા હોવાથી પ્રશાસન તરફથી તેને કેન્સલ કરવામાં આવેલ છે. તેના સ્થાને સાઈબાબા મંદિર પાસે, ઝાડેશ્ચર મુકામેનો કુંડ  યથાવત રહેલ છે. ત્યાં વિસર્જન માટે જવા વિનંતી. ભરૂચ શહેર, તાલુકાના શ્રી ગણેશ વિસર્જન  સાઈબાબા મંદિર પાસે, નીલકંઠ મહાદેવના મંદિર, ઝાડેશ્ચર મુકામે તેમજ ભાડભૂત મુકામે થનાર છે જેની સર્વે ગણેશ મંડળોના આયોજકોએ નોંધ લેવા વિનંતી.

(5:10 pm IST)