Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

નાંદોદના વાવડીમાં એક સાથે ૫ કોરોના કેસ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૦૭ એ પોહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લા માં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા માં દરબાર રોડ ૨, વૃંદાવન સોસા. ૧ તેમજ ટીમ્બા ખડકી ૧ કુલ ૩ પોઝિટિવ દર્દી નોંધાયા છે ઉપરાંત નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે ૧ તેમજ વાવડીમાં ૫ પોઝિટિવ દર્દી નોંધાયા છે આમ જિલ્લામાં કુલ ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે આજે ૧૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૪૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૦૭ એ પોહોચ્યો છે આજે વધુ ૨૯૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:13 pm IST)