Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ભરતનગર ખાતે પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીના વરદહસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પ.પૂ. માઁ કનકેશ્વરીદેવી એ પ્રકૃતિની સેવાનો સંદેશ આપ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : મોરબીના ભરતનગર ખાતે પપૂ. માઁ કનકેશ્વરીદેવી અને કર્મયોગી સ્વામિ ચીદાનંદજીના વરદહસ્તે ૧૫ વીઘા જમીનમાં વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શુભ અવસર પર પપૂ. માઁ કનકેશ્વરીદેવીએ પ્રકૃતિની સેવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ ભરતનગર, સાદુલકા અને લક્ષ્મીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજીત કરવામાં આવ્યો હતો

 . અત્રે ઉલ્લેખનિય છે કે, મોરબી તાલુકાના ભરતનગર-બેલા રોડ પર ખોખરા હનુમાનજી મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે કે જે સદગુરૂ મહારાજ પૂજ્ય કેશવાનંદ બાપુની તપોભૂમિ છે જ્યાં હાલમાં પ.પૂ.માઁ કનકેશ્વરીદેવી બિરાજે છે. જેઓના સાન્નિધ્યમાં અત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

(4:25 pm IST)