Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

તા. ૧પ થી ૧૭ ભારે વરસાદના સંજોગો : NDRF ખડેપગે : રાજયમાં સરેરાશ ૬૦.ર૮ ટકા વરસાદ : ૯૧.૯૦ ટકા વાવેતર

ગાંધીનગર : રાહત કમિશનર અને અધિક સચિવ શ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગઇકાલે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર સુશ્રી ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે. ગઇકાલે તા. ૧ર સવાર સુધીમાં રાજયમાં સરેરાશ ૬૦.ર૮ ટકા વરસાદ થયો છે.

IMDના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઇ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ  સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં ૫ણ લંબાવવાની પૂર્ણ શકયતા છે. તા.૧૬ અને ૧૭ ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૦/૦૮/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૭૮.૦૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૧.૩૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૧.૯૦% વાવેતર થવા પામ્યું છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૪૭ મીટર છે તેમજ ૧,૭૧,૦૦૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૧૯% છે. તેમજ ૭,૫૨૨ કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૫૫.૭૫% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૬૯ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૮ જળાશય છે.

ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, તા.૧૫ ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવા ૫ર પ્રતિબંધ છે. 

શ્રી પટેલે જણાવ્યું હતુ કે, આગામી સપ્તાહમાં તા. ૧૫ ઓગસ્ટથી તા.૧૭ ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે.

(11:23 am IST)