Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક  પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે

 મુખ્યમંત્રી પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને  એક સચોટ અને પ્રખર વિવેચક  સમીક્ષક ગણાવતા કહ્યું છે કે સમાજ જીવનઅને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીરક્ષિર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખની એ લાખો વાચકો ના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે

તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને  ના પુરાય એવી ખોટ પડી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે

(7:57 pm IST)