Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાજ્યમાં નવી ૧૩ તાલુકા કોર્ટ શરૂ કરાશે : ૩૮ ફેમિલી ફેમિલી કોર્ટો અને ૪૦૩ જેટલી સ્પેશ્યલ કોર્ટ કાર્યરત

કાયદાનું કડક સુશાસન પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા

 

ગાંધીનગર : વિધાનસભામાં કાયદા વિભાગ માટેની અંદાજપત્રીય જોગવાઇઓ પર કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ  રાજ્યમાં કાયદાના શાસનને વધુ અસરકારક બનાવવા આગામી વર્ષ માટે અંદાજપત્રમાં કાયદા વિભાગ માટે કરવામાં આવેલી ,૬૫૩.૩૫ કરોડની ફાળવણી થયાનું જણાવી મંત્રીએ જણાવ્યું કે, ૨૦૦૩-૦૪માં ન્યાયતંત્ર માટેનું બજેટ માત્ર  ૧૪૦.૧૯ કરોડ હતું, તેમાં ,૧૭૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં કાયદાનું કડક સુશાસન પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની કટિબધ્ધતા વ્યક્ત થતી હોવાનું કાયદા મંત્રીએ ઉમેર્યું હતું

   કાયદા મંત્રીએ જણાવ્યું કે, ૨૦૧૫માં વિવિધ સ્તરની ૮૯૪ કોર્ટો કાર્યરત હતી. છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૩૪ કોર્ટ શરૂ કરવામાં આવી છે. રાજયના ૨૪૯ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓમાં સિવિલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષમાં અધિક જિલ્લા ન્યાયાધિશની ૧૦ તથા સિનીયર સિવિલ જજની મળીને ૧૩ તાલુકા કોર્ટ શરૂ કરવામાં આવશે. ન્યાયતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે કોર્ટોને માળખાગત સુવિધાઓ આપવા સાથે ન્યાયાધિશ તેમજ સપોર્ટીંગ સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં ૨૫૯૪ જગ્યાઓ મંજૂર થવાથી રાજ્યની તાબાની અદાલતોમાં મહેકમની સંખ્યા ૧૧,૦૩૦ થઇ છે.

 આગામી વર્ષમાં વધુ ૬૪૫ જેટલી જગ્યાઓ માટે જોગવાઇ કરવમાં આવી છે. મહિલાઓને ઝડપથી ન્યાય મળી રહે તે માટે ફેમિલી કોર્ટ મહત્વની હોય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓમાં ફેમિલી કોર્ટ કાર્યરત હતી, તેમાં વધારો કરીને હવે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં કુલ ૪૬ જેટલી ફેમિલી કોર્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૩૮ જેટલી ફેમિલી કોર્ટો કાર્યરત કરીને રાજ્ય સરકારે મહિલાઓ પ્રત્યેની સંવેદનાઓને વાચા આપી છે.

રાજ્યમાં વધી રહેલા ઔદ્યોગિક વિકાસના કારણે કામદારોને લગતા પ્રશ્નનો ત્વરિત નિરાકરણ આવે તે માટે રાજ્યના જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતો અને ૨૨ જિલ્લાઓમાં મજૂર અદાલતો કાર્યરત હોવાનું કાયદા મંત્રીએ જણાવ્યું હતું. કાયદા મંત્રીએ વધુમા જણાવ્યું કે, જુદા-જુદા સ્પેશ્યલ એક્ટ હેઠળ ૨૦૧૫માં રાજ્યમાં ૧૪૪ સ્પેશ્યલ કોર્ટ કાર્યરત હતી. છેલ્લા ત્રણ વર્ષમાં વધુ ૨૫૯ નવી કોર્ટ શરૂ કરવામાં આવી છે. આમ, હાલમાં કુલ-૪૦૩ જેટલી સ્પેશ્યલ કોર્ટ કાર્યરત છે.

ગુજરાત હાઇકોર્ટ તથા તાબાની અદાલતોમાં મહત્વના રેકોર્ડોનું ડીઝીટીલાઇઝેશન માટે આગામી વર્ષમાં રૂ. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોર્ટ રૂમમાં થતી કાર્યવાહીમાં પારદર્શિતા આવે તથા કોર્ટ સ્ટાફ દ્વારા થતી કામગીરી ઉપર દેખરેખ રહે તે માટે રાજ્યની અદાલતોને સી.સી.ટી.વી.ના માધ્યમથી સાંકળી લેવા માટે ગત વર્ષે કુલ રૂા. ૫૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે અંગતર્ગત ૩૪૩ કોર્ટ બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. ,૩૪૫ કોર્ટ રૂમમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

 ઉપલી અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તે માટે છેલ્લા ત્રણ વર્ષેમાં ૩૮,૧૮૮ જેટલી લોક અદાલતો યોજવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષમાં કાયમી લોક અદાલતોની સ્થાપના માટે રૂા. .૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું કાયદા મંત્રીએ જણાવ્યું હતું.

    મધ્યસ્થીની મદદથી પક્ષકારો વચ્ચે સમાધાન, સુલેહ થાય તે માટે મહત્વના મીડીએશન સેન્ટરમાં દિવાની તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો મૂકવામાં આવતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની તમામ અદાલતોમાં મીડીએશન સેન્ટર દ્વારા સમાધાન માટે રજૂ કરવામાં આવેલા કેસો પૈકી ,૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું કાયદા મંત્રીએ જણાવ્યું હતું

 . જ્યુડીશરી સેવા સાથે સંકળાયેલા ન્યાયાધિશો, કોર્ટ કર્મચારીઓ તથા સરકારી વકીલોની સ્કીલ અપડેશન માટે આગામી વર્ષમાં રૂા. ૧૫.૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અદાલતોના સંકુલ, રહેણાંકના મકાનો માટે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂા. ,૧૦૩.૫૯ કરોડની મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે રૂા. ૭૪.૯૬ કરોડના નવા કામો માટે જોગવાઇ કરવામાં આવી છે. વિવિધ અદાલતોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા રૂા. ૮૨૯.૮૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
કાયદા મંત્રીએ જણાવ્યું કે, કાયદા વિભાગ હેઠળ કાર્યરત ચેરીટીતંત્રમાં હાલમાં .૫૨ લાખ ટ્રસ્ટો અને ૯૩,૧૫૪ જેટલી સોસાયટીઓ નોંધાયેલી છે. તેના અંદાજે કરોડ થી વધુ દસ્તાવેજોનું ડીજીટીલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા બાદ ગૃહમાં સર્વાનુમત્તે મંજૂરી આપવામાં આવી હતી.

(10:53 pm IST)