Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જૂનાગઢના વિપુલ સાકરીયાઃ બોટાદના રાજેશકુમાર ચૌહાણઃ મોરબીના અનિલકુમાર ગૌસ્‍વામીઃ જામનગર પ્રશાંત મંગુડા અને રાજકોટના જયેશ લિખીયા તથા પ્રશાંત કુમાર ગલચર સહિત પ૮ પ્રોબેશ્નર પ્રાંત ઓફિસરોને સ્‍વતંત્ર કામગીરી માટે વિવિધ જીલ્લાઓ ફાળવાયા

રાજકોટઃ ર૦૧૭ બેચના ગુજરાતના પ્રોબેશ્નર  પ્રાંત ઓફિસરોને ‘‘સ્‍પીપા''ના પત્ર આધારે ઓકટોબર માસ સુધી તેઓને  પ્રાંત ઓફિસર તરીકે સ્‍વતંત્ર કામગીરી કરવા માટે વિવિધ જીલ્લાઓ ફાળવાયા છે.  પ૮ જેટલા પ્રોબેશ્નર પ્રાંત ઓફિસરોમાં જૂનાગઢના વિપુલ સાકરીયા, બોટાદના રાજેશકુમાર ચૌહાણ, મોરબીના અનિલકુમાર ગૌસ્‍વામી, જામનગર પ્રશાંત મંગુડા અને રાજકોટના જયેશ લિખીયા તથા પ્રશાંત કુમાર ગલચર વિગેરેનો સમાવેશ છે. રેવન્‍યુ વિભાગના ડેપ્‍યુટી સેક્રેટરી દિલીપ ઠાકરની સહીથી નીકળેલ આ હુકમો આ મુજબ છે.

 

 

(8:58 pm IST)