Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સુરતના કતારગામમાં સ્કૂલવેનમાં અચાનક આગ ભભૂકી :10 જેટલા વિદ્યાર્થીઓ પગમાં દાઝ્યા

એકાએક આગ ભભૂકતા વિદ્યાર્થીઓની બુમરાણ સાથે ભાગદોડ : શોટકીર્કિટના પગલે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

 

સુરતના કતારગામ વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવેનમાં અચાનક આગ ભભુકતા વિદ્યાર્થીઓની બુમરાણ સાથે ભાગદોડ મચી જવા પામી હતી.

  મળતી વિગત મુજબ કતારગામ વિસ્તારમાં સિંગણપોર ચાર રસ્તા નજીક થઈ સિંગણપોર ખાતેની નીલકંઠ વિદ્યાલયના ધોરણ 1 થઈ 5 ના વિદ્યાર્થીઓને લઇ એક સ્કૂલવેન જઇ રહી હતી.ત્યારે  એકાએક સ્કૂલવેનમાં આગ ભભૂકતા વિદ્યાર્થીઓની બુમરાણ સાથે ભાગદોડ મચી જવા પામી હતી.જેમાં સ્કૂલવેનમાં સવાર દશ જેટલા વિદ્યાર્થીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી જવા પામી હોવાના અને તમામને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

  સ્કૂલવેન CNG રહિત હોઈ તેમાં લાગેલ આગ શોટકીર્કિટના પગલે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હાલ લગાવાય રહ્યું છે.

(11:37 pm IST)