Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજપીપળામા મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા કોરોના કહેર વચ્ચે આયુર્વેદિક ઉકાળો અને માસ્કનું નિઃશુલ્ક વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા હાલ અનેક સંસ્થાઓ અલગ અલગ પ્રકારે લોકઉપયોગી સેવકાર્યો કરી રહી છે જેમાં ભાજપના અગ્રણી અને મેડિકલ સ્ટોરના સંચાલક રાજેન્દ્ર ભાઈ પટેલ પણ હર હમેશ આવી વિકટ પરિસ્થિતિમાં લોકઉપયોગી કામો માટે સદાય હાજર હોય હાલમાં પણ રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલા તેમના મેડિકલ સ્ટોર ખાતેથી દરરોજ આયુર્વેદિક ઉકાળો અને માસ્ક નું નિઃશુલ્ક વિતરણ કરતા હોય જેનો રાજપીપળા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. આજ દિન સુધી રાજેન્દ્ર પટેલ દ્વારા હજારો લીટર ઉકાળો વિતરણ કરવામાં આવ્યો છે.

 આ બાબતે રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માનવ સેવા જેવું ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી અને આવા કોરોના જેવા કપરા સમય માં જરૂરિયાતમંદ ને ઉપયોગી બનવું તેને હું મારું સૌભાગ્ય ગણું છું.

(11:22 pm IST)