Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વલસાડ જિલ્લાના તાલુકામાં કોરોના કહેર યથાવત :આજે ૧૦૭ નવા કેસો નોંધાયા : વધુ ૭ દર્દીઓના કરૂણમોતથી અરેરાટી

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકા માં કોરોના કહેર યથાવત જણાઈ રહીયો છે, એકબાજુ નવા કેસો આવી રહી યા છે તેમજ દર્દી ઓ ના મોત નું પ્રમાણ પણ વધી રહીયુ છે.
    આજે એટલે કે ૧૨ મી મે નાં રોજ જીલ્લા ના તાલુકા ઓ માં વલસાડ ૩૫, પારડી ૧૭, વાપી ૦૩, ઉમરગામ ૨૬, ધરમપુર ૧૫, અને કપરાડા ૧૧ મળી કુલ ૧૦૭ નવા કેસો આવેલ છે.
   એટલું જ નહી કોરોના આજે પણ ક્રૂર બની ૭ દર્દી ઓ ને ભરખી ગયો છે. જોકે આજે ૯૯ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, હાલ જીલ્લા માં ૧૦૯૯ દર્દી ઓ સારવાર હેઠળ છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના એ ગ્રામીણ વિસ્તાર માં પગ પેસારો કર્યા નું જણાય છે જે ચિંતા જનક જણાય રહિયુ છે

(6:56 pm IST)