Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

તાપી જિલ્લામાં કોરોનાથી ૧પ,અન્ય રીતે ૯પ મૃત્યુ થયા

તુષાર ચૌધરીનું નિવેદન સત્યથી વેગળુઃ આરોગ્ય અધિકારી

રાજકોટ તા. ૧ર :.. તાપી જિલ્લામાં કોરોનાથી  એપ્રિલમાં ૧પ૦૦ મૃત્યુ થયાના નિવેદનને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ સત્યથી વેગડુ ગણાવ્યું છે.

મુખ્ય આરોગ્ય અધિકારીએ યાદીમાં જણાવેલ કે તાપી જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કારણે ૧પ તથા કોરોના પોઝીટીવ હોય પણ અન્ય બીમારીના કારણે ૯પ મરણ નોંધાયેલ છે. પી. એમ. કેરમાંથી ફાળવેલ વેન્ટીલેટરનો કનેકટરના અભાવે ઉપયોગ થતો નથી. તે હકિકત સાચી નથી. જનરલ હોસ્પિટલના વેન્ટીલેટર ચાલુ હાલતમાં છે. વપરાશમાં ન હોવાથી અલગ રૂમમાં રાખેલ છે. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાશે.

(3:12 pm IST)