Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સુરતમાં લોકડાઉનમાં રત્‍નકલાકાર પતિએ નોકરી ગુમાવતા ગર્ભવતી પત્‍નીનો આપઘાત : અરેરાટી

પૈસાની ચિંતામાં જાગૃતિબેને પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરતા બે સંતાનોએ માતા ગુમાવ્‍યા

સુરત : શહેરમાં લોકડાઉનમાં અનેક લોકોએ સુરતમાં રોજીરોટી ગુમાવી છે. જોકે નોકરી ગુમાવી રહેલા કામદારોની સ્‍થિતિ દયનિય બની છે, રત્‍નકલાકાર પતિએ લોકડાઉનમાં નોકરી ગુમાવતા તેની ચિંતામાં ગર્ભવતી પત્‍નીએ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી ફેલાઈ છે.

કોરોના વાઇરસ લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્‍યારે વેપાર ઉધોગ બંધ હોવાને લઈને પરિવાર ગુજરાત ચાલવનું મુશ્‍કેલી બની ગયું છે ત્‍યારે આર્થિક ભીંસમાં આવતા લોકો આ પરિસ્‍થિતીમાં ન કરવાનું કરી નાખતા હોય છે ત્‍યારે આવી એક ઘટના સુરતમાં પણ બનવા પામી છે. મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના વતની અને સુરતના પૂણા ગામમાં કલ્‍યાણ નગરની બાજુમાં ક્રિષ્‍ના નગરમાં રહેતા જાગૃતીબેન વિપુલભાઈ બામણીયા જેમના પતિ રત્‍નકલાકાર તરીકે કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા જોકે લોક ડાઉન હોવાથી પતિ કામે જઈ શકતા ન હતા. આવા સંજોગોમાં પરિવાર નું ગુજરાન ચાલવાનું મુશ્‍કેલ હતું. તેવામાં જાગૃતીબેન ગર્ભવતી હોવાને લઇને આગામી દિવસ પ્રસ્‍તુતિ હોવાને લઇને પૈસાની સતત ચિંતા કરતા હતા જેના લીધે તે ટેન્‍શનમાં રહેતા હતા.  જાગૃતિ બેને આવેશમાં આવી જઇને રાત્રે દ્યરમાં પતિ સાથે વાતચીત કર્યા બાદ પતિ ઘરના ઓટલા પર સૂવા ગયા હતા, બાદમાં જાગૃતીબેન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી હતી. જોકે જાગૃતિ બહેન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ત્‍યારે પરિણીતાના આ પગલાંને લઈને પરિવાર આદ્યાતમાં ગરકાઉ થઈ ગયું છે જોકે ઘટના જાણકારી મળતા કાપોદ્રા પોલીસ બનાવ વાળી જગ્‍યા પર પહોંચી આ મામલે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(1:52 pm IST)