Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વ્યાજખોરોની ધમકીથી ડરી મહેમદાવાદના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી

મહેમદાવાદ: પંથકમાં વ્યાજખોરોએ પોતાના નાણાં મેળવવા માટે એક શખ્સને ધમકી આપી છે. ઉપરાંત વ્યાજખોરોએ ખોટી રીતે મીલકત પડાવતા આ અંગે કંટાળેલા શખ્સે જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

તાલુકાના અકલાચા ગામે ભરતભાઈ મેલાભાઈ ભોઈ રહે છે. તેઓ ફેબ્રીકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભરતભાઈએ રીછોલ ગામે ગ્રામીણ બેંક સામેની ખડકીમાં રહેતા કાળીદાસ ભીખાભાઈ પટેલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. પાંચ ટકાના દરે કાળીદાસે ભરતભાઈને રૃા.૩૬,૫૦,૦૦૦/- આપેલા હતા. પરંતુ ભરતભાઈની આર્થિક સ્થિતી બરાબર નહી રહેતા તેઓએ આ પૈકીના અમુક રૃપિયા કાળીદાસને પરત આપ્યા નહોતા. કાળીદાસે પોતાના નાણાં મેળવવા માટે પોતાના  મળતીયાઓની સાથે ભેગા મળી ભરતભાઈને અવાર નવાર ધાક ધમકી આપતા હતા.

(6:27 pm IST)