Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગાય બચાવ -ગૌચર બચાવ આંદોલન છેડશે :13મીએ તમામ જિલ્લા મથકે કાર્યક્રમ

ઠાકોર સેના અને ઓબીસી સંગઠનના નેજા હેઠળ સરકારનો કાન આમળશે :કાલે ચૈતન્ય શભુ મહારાજને કરશે ઘેરાવ

 

અમદાવાદ :રાધનપુરના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ગાય અને ઘાસચારા મુદ્દે સરકાર સામે આંદોલન છેડશે આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ કરી અને ગાયોના ઘાસચારાથી લઇ અને ગૌચરની જમીન મામલા સહીત અલ્પેશે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા.અલ્પેશ ઠાકોર હવે સરકાર સામે ગાય બચાવો, ગૌચર બચાવો આંદોલન કરશે.

  કોંગ્રેસ માં જોડાઈ ગયા હોવા છતાં અલ્પેશ ઠાકોર સેના અને ઓબીસી સંગઠનના બેનર હેઠળ આંદોલન કરશે અલ્પેશ ઠાકોરે . જિલ્લાવાર પાંજરાપોળમાં ઘાસચારો આપવાનીમાગ કરી ગૌવંશ દીઠ 15 કિલો ઘાસચારો મળે તેવી માંગ કરી છે અને આગામી 13 તારીખે તમામ જિલ્લા મથકે કાર્યક્રમ આપવામાં આવશે.

  ટિમ અલ્પેશ કલેક્ટર કચેરી ખાતે ગાયને લઈ જઈ ત્યાં ગાય પૂજા કરવામાં આવશે. સરકાર દ્વારા 144 કલમ લાગુ કરવામાં આવી હતી. કલમ લાગુ મામલે સરકાર માફી માગે તેના માટે કાર્યક્રમ યોજાશે તો આવતી કાલે ઠાકોર સેના, ઓબીસી એકતા મંચ અને કોંગ્રેસના કાર્યકરો ચેતન્ય સંભુ મહારાજના ઘરનો ઘેરાવ કરી ગાયો માટે શું કર્યું તેનો જવાબ માંગશે.

(11:28 pm IST)