Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વાગરાના ખોજબલમાં ચારિત્ર્યની શંકાએ પતિએ કરી પત્નીની હત્યા :ત્રણ બાળકો બન્યા નિરાધાર

 

ભરૂચ :વાગરાના ખોજ્બલ ગામે પત્ની પર ચારિત્ર્યની શંકાએપતિએ લાકડીના ઘા ફટકારી પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી હતી. હત્યાના ગુનામાં નાશતા ફરતા આરોપી પતિ સંજય વસાવાની વાગરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

  અંગે મળતી વિગત મુજબ ગત મંગળવારના રોજ વાગરા તાલુકાના ખોજબલ ગામે પત્ની પર ચારિત્ર્યની શંકાએ પતિ તેની પત્નીને બાઈક પર બેસાડી માછલાં જોવાના બહાને લઇ ગયો હતો. બાદમાં અચાનક લાકડી સાથે પત્ની ઉપર તુટી પડતાં સપાટા મારી પત્ની જયશ્રીને ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં જયશ્રીને તેની માતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં મોડી સાંજે ફરજ પરનાં ડોકટરે મૃત જાહેર કરી હતી.

   પોલીસે પતિ સંજય વસાવા સામે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. હત્યાનો આરોપી પત્નીને મારમારી ફરાર થઇ ગયો હતો. વાગરા પોલીસે સંજય વસાવાને ગતરોજ વાગરાના નાંદીડા ગામ નજીક્થી ઝડપી પાડ્યો હતો. પોલીસે હત્યાના આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પિતાના પાપે માતાની હત્યા થતાં ત્રણ બાળકો નિરાધાર બન્યા છે.

(1:14 am IST)