Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સુરતના વરાછામાં બે આંગડિયા પેઢીની તપાસ હાથ ધરાઈ:60 લાખની રોકડ મળી આવી

સુરત:ઈન્કમ ટેક્સ વિભાગે મોડી સાંજે સુરતના વરાછા તથા મહીધરપુરા વિસ્તારમાં આવેલી બે આંગડીયા પેઢી પર તપાસ હાથ ધરીને કુલ રૂ.૬૦ લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

સુરતની આંગડીયા પેઢીઓમાં મોટા પાયા પર નાણાંકીય હેરફેર થઈ રહી હોવાની સુરત ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટીગેશન વિંગને બાતમી મળી હતી. જે બાતમીના આધારે ઈન્કમ ટેક્સ વિભાગના ૧૦ અધિકારીઓની ટીમે  સુરતના મહીધર પુરાની અંબેલાલ હરગોવન  તથા વરાછા વિસ્તારની નટવર ચીનુ આંગડીયા પેઢીઓના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી છે. આંગડીયા પેઢીના સુરત  ઉપરાંત ભરુચ તથા વડોદરાની બ્રાંચ પણ  ઈન્કમ ટેક્સ વિભાગના સકંજામાં આવી છે.

(5:43 pm IST)