Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર કલોલનો પાટોત્સવ ભારે દબાદબાપૂર્વક ઉજવાયો : વ્યસન મુકિત રેલી : પક્ષીઓને પાણી માટે કુંડાનું વિતરણ

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કલોલનો પાટોત્સવ ભારે દબાદબાપૂર્વક ઉજવાયો.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૩૧ મી જયંતિ અન્વયે કન્યાઓએ કળશ ભરીને તથા પધારેલ અઢારે આલમે આનંદ વધામણા કર્યા હતા.

બે દિવસીય કાર્યક્રમમાં વ્યસનમુકિત રેલી તથા શિબિર યોજાઇ હતી. તેમજ પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું વિતરણ પણ કરાયું હતું.

પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે વ્યસનોને તિલાંજલી એ જ મનુષ્યનું જીવન ખોરવાઇ જાય છે. માટે તેનો સદંતર ત્યાગ કરવો એમાં જ હિત સમાયેલ છે.

(12:39 pm IST)