News of Friday, 12th April 2019
નવીદિલ્હી, તા.૧૨: ભુતકાળમાં ભાજપ માટે પડકાર ઉભો કરનાર 'યુવા ત્રિપુટી'' આજે હાંસિયામાં ઘકેલાઇ ગઇ હોય તેવું જણાય છે. ૧૮ મહિના પહેલા જ ૨૦૧૭માં ગુજરાતમાં વાગી રહેલા વિધાનસભા ચૂંટણીના પડદ્યમની વાત કરીએ તો પણ ભાજપ કોંગ્રેસની સાથે જે ત્રણ નામ યાદ આવે તે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી છે. પંરતુ આજે ફરી ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મહત્વના ટર્નિંગ પોઇન્ટ પર આવીને ઉભું છે ત્યારે આ ત્રણેયનો કોઈ પત્ત્।ો લાગી રહ્યો નથી. વર્ષ ૨૦૧૫-૧૬માં ત્રણેય યુવા નેતાઓએ વ્યકિતગત રીતે રાજયના સત્ત્।ાધારી પક્ષ ભાજપને ચિંતા કરાવે તેવી સ્થિતિ પેદા કરી હતી અને તેનો લાભ કોંગ્રેસે ૨૦૧૭થી ચૂંટણીમાં ખૂબ લીધો. પાછાલા દોઢથી વધુ દાયકા પછી કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં મજબૂત આંકડા સાથે જગ્યા બનાવી શકયું તો તે આ ત્રણને આભારી જ છે.
પરંતુ, આજે કોંગ્રેસના આ ત્રણેય લડવૈયાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિ છે. ભાગ્યે જ તેઓ કોઈ પ્રચારમાં જોવા મળી રહ્યા છે. તો તેમાંથી એક અલ્પેશ ઠાકોરે તો બરાબર ચૂંટણી ટાંકણે કોંગ્રેસનો હાથ જ મુકી દીધો છે. રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત કરનાર અલ્પેશે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે તેને જાહેર કર્યું છે કે તે હવે ફકત અહીંથી લડતા અપક્ષ ઠાકોર ઉમેદવાર માટે જ પ્રચાર કરશે. જયારે આ લોકસભા ચૂંટણીથી પોતાની રાજકીય કારકિર્દી રચવાના સપન જોતા હાર્દિકના સપનામાં ત્યારે પંકચર પડી ગયું જયારે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને જગ્યાએ વડગામ કેસમાં પોતાને રાહત આપતી અરજીને ફગાવી દેવામાં આવી. આ જ રીતે કોંગ્રેસના ટેકા સાથે અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલ જીગ્નેશ મેવાણી પોતાને રાષ્ટ્રીય કક્ષાએ દલીત નેતા સાબિત કરવામાં લાગ્યા હોવાથી પ્રચારમાં કયાંય દેખાઈ રહ્યા નથી.
૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ ફાટી નીકળેલા તોફાનોમાં ૧૪ પાટીદાર યુવાનોના મૃત્યુ પછી પોલીસ ધરપકડના કારણે હાર્દિક ખૂબ લાઈમલાઇટમાં આવી ગયો હતો. રાજયના મતદારોમાં ૧૨ ટકા જેટલો મહત્વનો ફાળો ધરાવતા પાટીદાર સમાજ વચ્ચે તે ખૂબ મોટા યુવા નેતા તરીકે છવાઈ ગયો હતો. જોકે પોતાના આંદોલનની શરુઆતથી જ રાજકરણમાં જોડાવાના ના-ના પાડતા પાડતા અંતે એકાદ મહિના પહેલા જ હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. આ પહેલા પણ ૨૦૧૭ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે ભલે રાજકરણમાં જોડાયો નહોતો પરંતુ હાર્દિક ખુલ્લેઆમ કોંગ્રેસ માટે ભરપૂર પ્રચાર કર્યો હતો.
આજ સમયગાળામાં રાજયના OBC સમાજમાં મોટી વસ્તી ધરાવતા ઠાકોર કોમ્યુનિટીમાંથી આગળ આવેલ અલ્પેશ ઠાકોરે પણ પાટીદારો OBC અનામતમાં ભાગ પડાવશેના ભય વચ્ચે OBC કવોટામાં આવતી જુદી જુદી જાતીઓને એક મંચ હેઠળ લાવવમાં સફળતા મેળવી હતી અને તેણે તમામ OBC સમાજના નેજા હેઠળ ઠાકોર સેનાની રચના કરી હતી. જેના દ્વારા અલ્પેશે દારુના ગેરકાયદે વેપાર વિરુદ્ઘ સફળતા પૂર્વક રાજયવ્યાપી લડત ચલાવી હતી. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં અલ્પેશ માટે ખુલ્લા દરવાજા હતા ત્યારે અલ્પેશે ૨૦૧૭ની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ૧૪૦૦૦થી પણ વધુ મત સાથે જીત મેળવી હતી.
તો, હાર્દિક અને અલ્પેશના સામાજીક ફલક પર આવ્યાના થોડા સમય બાદ ૨૦૧૬માં થયેલા ઉનાકાંડને લઈને રાજયમાં દલીતોના આગેવાન તરીકે જીગ્નેશ મેવાણીએ પોતાનું કદ વધાર્યું હતું અને ૨૦૧૭માં કોંગ્રેસના પીઠબળથી વડગામ વિધાનસભા જીતીને રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. જોકે હાલની સ્થિતિમાં કોંગ્રેસના આ ત્રણેય યુવા નેતાઓનો રાજકીય ફલક પર ગેરહાજરી ઉડીને આંખે વળગે છે.
આ અંગે જાણીતા સમાજશાસ્ત્રી અને રાજકીય નિષ્ણાંત દ્યનશ્યામ શાહે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં આ ત્રણેયની અસન નહીવત રહેશે. તેમણે કહ્યું કે, '૨૦૧૭ની ચૂંટણીમાં પણ આ ત્રણેય યુવા નેતાઓ કોઈ ખાસ નોંધનીય ફરક પાડી શકયા નહોતા. અલ્પેશ ઠાકોરનું પ્રભૂત્વ ફકત ઉત્ત્।ર ગુજરાતના ઠાકોર સમાજ પર છે જયારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઠાકોર પર તેની કોઈ પકડ નથી. જયારે હાર્દિકનું પ્રભુત્વ પણ સૌરાષ્ટ્રમાં ખાસ જોવા મળ્યું નહોતું. તો જીગ્નેશ ફકત અને ફકત વડગામ વિધાનસભાના મતદારો પર અસર પાડી શકે છે. જેથી આ લોકસભામાં પણ કોઈ મોટી અસર આ ત્રણેય પાડે તેવી કોઈ શકયતા દેખાતી નથી.'