Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

વિરમગામમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

જખવાડા રેલવે સ્ટેશન મુકામે પુષ્પાજંલી, સ્કૂલમાં બિસ્કિટ વિતરણ અને ચેકથી નિધિ જેવા કાર્યક્રમ કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :એકાત્મ માનવવાદના પ્રણેતા અને પોતાનું જીવન માતૃભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરનાર  પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુણ્યતિથી નિમિત્તે વિરમગામ શહેરમાં પૂજન અને સમર્પણ નિધી તેમજ આંગણવાડીના નાના બાળકોને ફ્રૂટ વિતરણ અને દુધ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

        આ ઉપરાંત વિરમગામ તાલુકા ભાજપ દ્વારા  પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ સમર્પણ દિવસ નિમિતે જખવાડા રેલવે સ્ટેશન મુકામે પુષ્પાજંલી, સ્કૂલમાં બિસ્કિટ વિતરણ અને ચેકથી નિધિ  જેવા કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ બંને કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:48 pm IST)