Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વાઘોડિયા પંથકના ૬ જેટલા ગામોમાં હિંસક દિપડાએ મચાવ્યો આતંક : લોકોમાં દહેશત

દીપડાએ બકરાં, કુતરૂ તેમજ વાછરડાનું મારણ કર્યું

 

વડોદરા :વાઘોડિયા તાલુકાના દંખેડા તેમજ માધેવપુરા ગામે હીંસક દીપડાએ બકરાં, કુતરૂ તેમજ વાછરડાનું મારણ કર્યું હતું. વાઘોડિયા તાલુકાના દેવ નદીના કાંઠાના ગામોના વિસ્તારમાં દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે. ગોદાદરા, વસ્વેલ, મુવાડા, માધેવપુરા, ફ્લોડ, ગુટાલ, દંખેડા ગામે વાછરડા બકરા તેમજ કૂતરાનું મારણ કર્યુ હતુ. હજુ સુધી હિંસક દીપડો પાંજરે પુરાયો નથી. દીપડો વન ખાતાવાળાને સંતાકૂકડી રમાંડતો હોય તેમ લાગી રહ્યું છે.

વન વિભાગની ટીમે દીપડાને પુરવા માટે સંખેડાથી વધુ એક પાજરૂ મંગાવી કવાયત હાથ ધરી છે.વન વિભાગની ટીમ દ્વારા વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં ત્રણ જેટલા પીજરા મૂકીને હીંસક દીપડાને પાંજરે પુરવા માટે દીવસ રાત એક કરી રહ્યા છે.

(11:52 pm IST)