Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મહેસાણા :ઉદલપુર પાસે રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વારઅકસ્માત :ચાર લોકોના કમકમાટીભર્યા મોત :એક ગંભીર

મૃતકો બહુચરાજીના દેલવાડા ગામના હોવાનું અનુમાન :ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડાયો

મહેસાણા જીલ્લાના ઉદલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.

  જાણવા મળ્યા મુજબ મહેસાણાના ઉદલપુર પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

  જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં ભોગ બનનારા લોકો બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના હોવાનું અનુમાન છે. પોલીસે અકસ્માતમાં મોતને ભેટનાર લોકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી. અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મુદ્દે તપાસ હાથ ધરી મૃતકોના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

(8:38 pm IST)