Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમદાવાદના વાડજમાં બિલ્ડરના ત્રાસથી કોન્ટ્રાકટરે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:વાડજમાં લેબર કોન્ટ્રાકટરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો, સ્યુસાઇડ નોટમાં જુહાપુરાના બે બિલ્ડર અને દિલ્હી પબ્લીક સ્કૂલના સંચાલક સામે ત્રાસ અને રૃપિયાની લેતી-દેતીના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લઇને વાડજ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસ દોડતી થઇ છે.

કેસની વિગત એવી છે કે જુના વાડજ આશ્રમ રોડ પર પૃથ્વી કોમ્પલેક્ષમાં રહેતા પારુલબહેન ખોડાભાઇ પરમારે વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તેમના પતિ ખોડાભાઇ ૩૦ વર્ષથી લેબર કોન્ટ્રાકટનો ધંધો કરતા હતા. ચાર વર્ષ અગાઉ જુહાપુરાના બિલ્ડર જેકીભાઇ તથા ફજલભાઇ મેમણનું ઇમામ ટાવરનું કામ કર્યું હતું. જે કામની ઉઘરાણી પેટે ઇમાદ ટાવરમાં પારૃલબેનના નામે એક ફ્લેટ એલોટ કર્યો હતો ઉપરાંત બીજો ફ્લેટ અઝવાદ એપાર્ટમેન્ટમાં પતિના નામે એલોર્ટ કર્યો હતો. ફ્લેટના માત્ર કાગળો આપ્યા હતા ફ્લેટનો કબજો કે ચાવી આપતા હતા.

 

(5:52 pm IST)