Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

અમદાવાદ હિંમતનગરમાં ''પદમાવત'' ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન : ટાયરો સળગાવીને ચકકાજામ

અમદાવાદ : ''પદમાવત'' ફિલ્મ સામે વિરોધ વંટોળ થયો છે અને અમદાવાદ અને હિંમતનગરમાં ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શિત કરીને રોષ ઠાલવ્યો હતો.

અમદાવાદના એસ.પી.રીંગ રોડ પર મહાકાલ સેનાના કાર્યકરો દ્વારા થોડા સમય માટે વિરોધ કરાયો હતો. મહાકાલ સેનાના કાર્યકરોએ રસ્તા પર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. જેમાં હિંદુસમાજના ઇતિહાસ સાથે છેડછાડને બરદાસ્ત નહીં કરાય તેવા સુત્રો લખેલા હતા. બાદમાં મહાકાલ સેનાના કાર્યકરોએ રસ્તાની વચ્ચોવચ ટાયરો મૂકીને સળગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

હિંમતનગરમાં કરણીસેનાના કાર્યકરો હાઇવે બેસી ગયા હતા અને ટાયરો સળગાવ્યા હતા. જેથી એક કિલોમીટર સુધી ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. વાહનોની લાંબી લાઇનો લાગી હતી. બીજી તરફ ભિલોડાના વોટડા ટોલ બુથ પાસે પણ કરણી અને મહાકાલ સેનાએ ચકકાજામ કર્યો હતો. પદમાવત ફિલ્મના સાથે રાજયમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયતના મામલે ચકકાજામ કરીને રોષ ઠાલવ્યો હતો.

(9:12 pm IST)