Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સુરતમાં શિક્ષણમંત્રીના સંવાદ કાર્યક્રમ પૂર્વે ગોપાલ ઈટાલીયા સહિત ૧૭થી વધુ લોકોની અટકાયત

સુરત, તા. ૧૦ :. અહીંના નાનપુરામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો તે પહેલા જ વિરોધ કરવા આવેલા ૧૭થી વધુ લોકોની પોલીસ અટકાયત કરી હતી. જેમાં પાટીદાર યુવક અને આંદોલન વેળાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ ઉપર ચપ્પલ ફેîકનાર ગોપાલ ઈટાલિયાની પણ અટકાયત કરી હતી. આ તમામની અટકાયત થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંવાદ કાર્યક્રમમાં ગુજરાત વાલી એકતા મહામંડળ અને અલગ અલગ સંગઠનના સભ્યો પહોîચ્યા હતા. સુરતના ગાંધી સ્મૃતિ હોલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મેયર, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ દરમિયાન ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે એક વિદ્યાર્થીની રજુઆત કરતા અટકાવ્યાનો આરોપ લાગ્યો છે.

(1:47 pm IST)