Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગુજરાત કોંગ્રેસ દ્વારા નાગરિકતા સુધારા બીલના વિરોધમાં ધરણા- પ્રદર્શન કરાયું

પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને પાલડી કોચરબ ખાતે કાર્યક્રમનું આયોજન

 

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા બીલ રજુ કરવામાં આવ્યું છે. તેનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જે અનુસંધાને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નાગરિકતા સુધારા બીલ મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને પાલડી કોચરબ ખાતે કાર્યકર્મ નું આયોજન થયેલ હતું  જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ ના નેતા અને કાર્યકર્તાઓ હાથમાં બેનેર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, પ્રદેશ  પ્રમુખ અમિત ચાવડા, સિધાર્થ પટેલ વિગેરે હાથમાં બેનર સાથે ધરના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

(12:14 am IST)