Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ખેતીની નુકશાનીની સહાય અંગે કોંગીનો હોબાળો-ગૃહત્યાગ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા ૧૧  :   આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં નર્મદા જિલ્લામાં નુકશાન થયેલ પાકને સહાય આપવા બાબતેના પ્રશ્નના ઉતરમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧/૧૦/૧૯ની સ્થતીએ ભારે વરસાદને કારણે જિલ્લામાં ૨૫૩૦ ખેડુતોને સહાય મંજુર કરવામાં આવી છે. આ સહાયની રકમના આંકડાઓની માહીતી આપવામાં આવતા વિરોધપક્ષ દ્વારા માહીતી ખોટી છે, ખેડુત વિરોધી યે સરકાર નહીંચલેંગી ના સુત્રોચ્ચાર શરૂ કરી દેવામાં આવ્યા અને ગૃહમાં ભારે દેકારો મચી જવા પામ્યો અને ભારે સુત્રોચ્ચાર બાદ વિરોધ પક્ષ દ્વારા આ પ્રશ્ને વોકઆઉટ કરવામાં આવ્યો.

(3:29 pm IST)