Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જે નાગરિકો પાસે ભલે બીપીએલ કાર્ડ હોય પણ તેમણે આરટીઆઇ એક્‍ટ હેઠળ માહિતી મેળવવા તેની નિયત ફી ચૂકવવી પડશેઃ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર

અમદાવાદઃ ગુજરાતમાં જે લોકો ગરીબી રેખા નીચે(BPL) કાર્ડ ધરાવે છે તેમને સસ્તા અનાજની દુકાનેથી ફ્રીમાં અનાજ પાણી મળી શકે છે પરંતુ આવા લોકોને પણ RTI માહિતી મેળવવા માટે પર પેજ દીઠ રુ.2 ચાર્જ આપવો પડશે. આ કારણે ઘણીવાર નાનકડી માહિતી માટે પણ હાજારો પેજના થોથા પકડાવી દેવાય છે અને તેના રુપિયા ગરીબ વ્યક્તિએ ચુકવવા પડશે.

આવા BPL કાર્ડ ધારકોને નહીં મળે ફીમાં છૂટછાટ

ભલે ગમે તેટલું વિચિત્ર લાગે પણ પર હાલમાં જ ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 5 ડિસેમ્બરના રોજ એક સર્ક્યુલર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, ‘જે નાગરીકો પાસે ભલે BPL કાર્ડ હોય તેમને પણ RTI એક્ટ હેઠળ માહિતી મેળવવા માટે તેની નિયત ફી ચૂકવણી કરવી પડશે. કેમ કે રેશન કાર્ડ અનાજ ફ્રી મેળવવા માટે આપવામાં આવ્યું છે. તેના દ્વારા માહિતી ફ્રીમાં મેળવી શકાય નહીં.’

BPL રાશન કાર્ડ અને BPL કાર્ડ અલગ અલગ

જોકે ત્યાર બાદ ફરી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે BPL કાર્ડ હોલ્ડર અથવા તેના સમાન સર્ટિફિકેટ ધરાવતા લોકોને RTI ની ફીમાં રાહત આપવામાં આવશે. આ અંકે વિભાગના ડે.સેક્રેટરી કે.એસ. પ્રજાપતિએ કહ્યું કે, ‘આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે ઘણા અરજીકર્તાઓ RTI એક્ટનો ખોટો ઉપયોગ કરીને હજારો પેજની માહિતી માગે છે. અનેક લોકો એવા છે જેમને ખોટી રીતે BPL રાશન કાર્ડ આપવામાં ઇશ્યુ કરવામાં આવ્યું છે. કેમ કે આવા કાર્ડ કોઈપણ જાતના યોગ્ય વેરિફિકેશન વગર જ ઇશ્યુ કરી દેવામાં આવતા હતા.’

RTI એક્ટિવિસ્ટોએ દર્શાવી નારાજગી

તેમણે વધુમાં કહ્યું કે, ‘BPL રાશન કાર્ડ અને BPL કાર્ડ બંને અલગ અલગ છે. રાશન કાર્ડ ફક્ત અનાજ ફ્રીમાં મેળવવા માટે આપવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારના RTI એક્ટમાં પણ BPL કેટેગરી પાડીને ફીમાં છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે જ અમે પણ BPL રાશન કાર્ડ ધરાવતા BPL કાર્ડ ધરાવતા લોકો વચ્ચે ભેદરેખા પાડી છે.’ જ્યારે સરકારના આ નિર્ણયને RTI અને રાઇટ ટુ ફૂડ એક્ટવિસ્ટોએ RTI એક્ટનું ગળુ ઘોંટવા સમાન ગણાવ્યો છે.

કાયદાની વિરુદ્ધનો સરકારનો નિર્ણય

RTI એક્ટિવિસ્ટ પંક્તિ જોગે કહ્યું કે, ‘આ સર્ક્યુલર કાયદાની દ્રષ્ટીએ ગેરવ્યાજબી છે.’ તેમણે કહ્યું કે કાયદામાં સેક્શન 7(5) સ્પષ્ટપણે કહે છે કે BPL કેટેગરી અંતર્ગત આવતા અરજકર્તા પાસેથી કોઇપણ પ્રકારની ફી લઈ શકાતી નથી. ત્યારે સરકાર કઈ રીતે કહી શકે કે જે લોકો BPL પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સીસ્ટમ(PDS) અંતર્ગત આવે છે તેઓ BPL કેટેગરીમાં નથી આવતા.

(4:57 pm IST)