Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પરાજયના ડરથી ભાજપ મતદાતાઓમાં ધ્રુવીકરણ કરવા સાંપ્રદાયિક કાર્ડ રમી રહી છે ;જીજ્ઞેશ મેવાણીનો આરોપ

અમદાવાદ :વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે હારના ડરથી ભાજપ હવે મતદાતાઓમાં ધ્રુવીકરણ કરવા માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહી છે. જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ) પાસેથી ૫૦ હજારનો ચેક લેવા મામલાને ભાજપ સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.

(12:07 am IST)