Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વિજયભાઇ રૂપાણી ચૂંટણી સભા પહેલા પૂર્વ સરપંચના દિકરાનું અવસાન થતા સાંત્વના પાઠવવા પહોંચી ગયાં

ગાંધીનગરઃ આગામી તા. ૧૪મીએ બીજા તબક્કાનું મતદાન થનાર છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા પંથકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠાના કાતરવા ગામે ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં તેઓની જાહેરસભા યોજાય હતી પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને કાતરવા ગામના પૂર્વ સરપંચના દિકરાનું અવસાન થયાનું જાણવા મળતા તાત્કાલીક તેઓ પૂર્વ સરપંચના ઘરે પહોંચી ગયા હતા અને સાંત્વના પઠવી હતી ત્યારબાદ જાહેરસભા સંબોધી હતી.

(5:43 pm IST)