Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સોની સબની સિરીયલ 'ધર્મ યોધ્ધા ગરૃડ'માં મીર અલી મહીસાસુરના પાત્રમાં

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબની સિરીયલ ધર્મયોદ્ધા ગરૃડે દર્શકોના મન જીતી લીધાં છે અને હવે ગરૃડના જીવનનો અર્થ અને શીખ પર ભાર આપીને દર્શકોની રૃચિ વધારી છે. શોમાં દર્શકો હાલમાં દેવી દુર્ગા, તેનાં નવરૃપ અને ગરૃડના જીવનને દરેક બોધ કઈ રીતે પ્રભાવિત કરે છે.અગાઉના એપિસોડમાં આપણે જોયું કે પુરાણકથામાં સૌથી મજબૂત અસુર તારકાસુરનો ભગવાન કાર્તિકેય દ્વારા વધ કરાયો. હવે દર્શકોને દેવી દુર્ગાની વાર્તા જાણવા મળશે, જે મહિસાસુરમર્દિની તરીકે પણ ઓળખાય છે. મહિસાસુર ખતરનાક દાનવ છે, જે તેના શારીરિક રૃપો બદલીને તેના ક્રૂર લક્ષ્યો પાર પાડે છે. આ વાર્તામાં મહિસાસુરનું પાત્ર મીર અલી ભજવતો જોવા મળશે.

(5:50 pm IST)