Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

આહીર યુવા ફોરમ - ગાંધીનગર દ્વારા ર૨ મો વાર્ષિક સન્માન તથા સત્કાર સમારંભ રવિવારે યોજાશે

રાજકોટ તા.૧૧

પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની ર૪ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર આહીર સમાજનો ર૨ મો તેજસ્વી તારલાઓનો  સન્માન તથા સત્કાર સમારોહ તા.૧૩-૧૧-ર૦રર, રવિવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે, રંગ મંચ, સેકટર-૮ ગાંધીનગર ખાતે યોજાનાર છે. તેમજ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગીત, નૃત્ય, રાસ, એકપાત્રિય અભિનય જેવી વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.

આ સમારોહમાં ધોરણ ૧ થી ૧ર તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા ગાંધીનગરમાં વસતાં આહીર સમાજના ૩૮ તેજસ્વી તારલાઓનું શિલ્ડ-પારિતોષિક આપીને સમાજના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. તેમજ ગાંધીનગર ખાતેની  વિવિધ સરકારી કચેરી-વિભાગોમાં નવી નિમણૂંક તથા પ્રમોશન થયા હોય તેવા ૬૦ જેટલા વર્ગ ૧ થી ૩ ના અધિકારીઓને  મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવશે. સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવેલ છે.  આ સમારોહમાં ગાંધીનગરમાં વસતાં આહીર સમાજના સર્વે પરિવારોને પધારવા સંસ્થાએ અપીલ કરી છે.

 

(4:03 pm IST)