Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જંબુસર બેઠક પરથી ભાજપે ડી,કે,સ્વામી તરીકે જાણીતા દેવકિશોરદાસજી સ્વામીને ટિકિટ આપી

ગઢડા બેઠક પરથી રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ:શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે સાધુ-સંતોને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભરૂચની જંબુસર બેઠક પરથી પાર્ટીએ દેવકિશોરદાસજી સ્વામીને ટિકિટ આપી છે. તેઓ ડી. કે. સ્વામી તરીકે જાણીતા છે. તેમનું નામ જાહેર થતા જ સમર્થકોમાં આનંદ છવાયો છે. તો, ગઢડા બેઠક પરથી ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારનું પત્તુ કપાયું છે. શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે.

(12:11 am IST)