Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

'આપ'ના નેતા રાજભા ઝાલાનું પાર્ટીમાંથી રાજીનામુ: ભાજપમાં જોડાશે :આવતીકાલે ભાજપનો પહેરશે ખેસ :સોશિયલ મિડીયા થકી કરી જાણ

ચૂંટણી પહેલા આપ ને મોટો ઝટકો : ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ બાદ રાજભા ઝાલા હવે આમ આદમી પાર્ટી છોડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલો જોવા મળી રહી છે. કેટલાંક નેતાઓ પક્ષ છોડી રહ્યાં છે, તો કેટલાંક નેતાઓ પક્ષ બદલી રહ્યાં રહ્યાં છે. તેવામાં  ભાજપાનાં પૂર્વ નેતા અને રાજકોટ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા હવે આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે. ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ બાદ રાજભા ઝાલા હવે આમ આદમી પાર્ટી છોડશે તો ચૂંટણી પહેલાં આપને ઘણો મોટો ઝટકો વાગી શકે છે.

 રાજભા ઝાલાએ સોશ્યલ મીડિયા મારફત જાણ કરી છે રાજ ભા એ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે સર્વેને જાણવવાનું કે ઘણા સમય થી હું તમારા સર્વેની સાથે મળીને આમ આદમી પાર્ટી ને મજબૂત કરવા રાજ્ય વ્યાપી સઁગઠન નું કાર્ય કરી રહ્યો હતો પણ છેલ્લા ઘણા સમયથી પાર્ટી દ્વારા થઇ રહેલ અણઘટિત નિર્ણયો, કાર્યકર્તા ની સતત થઈ રહેલ આવગણના અને ગુજરાત ના વાતાવરણ ને દોણવા ની સાજીદ વગેરે થી મારાં માટે હવે આમ આદમી પાર્ટી મા કાર્ય કરવું શક્ય નથી તેની હું આપ માંથી રાજીનામુ આપી રહ્યો છું

(11:52 pm IST)