Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

SGVP ગુરુકુલ અમદાવાદ દ્વારા ૨૫૦ ઉપરાંત પરિવારોને અનાજની કીટનું વિતરણ]

અમદાવાદ તા. ૧૧ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા ઝાંઝરકા સવૈયાપીઠના મહંત શ્રી શંભુનાથજી મહારાજના આશીર્વાદ સાથે SGVP ગુરુકુલ તરફથી અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દીવાળીના દિવસોમાં ધંધુકા વિસ્તારના ઝાંઝરકા, છારોડિયા વગેરે ગામોમાં ૨૫૦ ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને અનાજ તથા જીવનજરૂરિયાતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કીટ વિતરણમાં SGVPથી સાધુ યજ્ઞવલ્લભદાસજી, સાધુ દિવ્યસાગરદાસજી તેમજ યોગીજી,  ગુરુકુલના વિદ્યાર્થી હરદેવસિંહજી, સુરજીતસિંહજી તથા અન્ય સ્વયંસેવકો જોડાયા હતા.

(1:02 pm IST)