Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વડોદરા લોકોને સલામતીનો અહેસાસ રાજકોટ સ્ટાઇલથી કરાવતા પીઆઇ કિરીટ લાઠીયા

સેન્ટ્રલ આઇબીની ઇનપુટ તથા તહેવારોને કારણે વિવિધ ગઠીયાઓ લોકોને શીશામાં ઉતારવા મેદાને પડયાની પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર ચિરાગ કોટડીયાની માહીતી તથા સુચના આધારે લોકોને સલામતીનો અહેસાસ કરાવવાની જવાબદારી રાજય પોલીસ તંત્રમાં જાબાંઝ અધિકારી તરીકે ઓળખાતા પીઆઇ કિરીટ લાઠીયાને સુપ્રત થતા જ વિવિધ બજારોમાં આખા સ્ટાફ સાથે ઉતરી લોકોને સાવધાની કઇ રીતે રાખવી તેની માહીતી સાથે દુકાનદારોને પણ સાવચેતીના પગલાની રૂપરેખા સાથે માર્ગદર્શન આપવા સાથે પોતાના મોબાઇલ નંબર આપી કોઇ પણ ઘટના સમયે તુર્ત જ જાણ કરવા જણાવ્યું હતું. કિરીટ લાઠીયા રાઉન્ડમાં હોવાની માહીતી મળતા જ લુખ્ખાઓએ બજારમાં ખરીદી કરવાનું પણ ટાળ્યું હતું.

(12:00 pm IST)