Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અત્યા૨ સુધીમાં 2 લાખથી વધુ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા

27 ધનવંતરી રથ દ્વારા 5 લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા વિરગમામ : વૈશ્વિક કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં  અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં અત્યા૨ સુધીમાં  2 લાખથી વધુ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 27 ધનવંતરી રથ દ્વારા 5 લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. ધનવંતરી રથ 27, તાલુકા 9, સાઈટ કવર કરી 4197, લાભર્થીઓની આરોગ્ય તપાસ 501463, એસ.પી.ઓ.ટુ  થી તપાસ 361796, ઉકાળા અને મેડિસિન આપેલ 251124, હોમિયોપેથીક દવા 241316 વ્યક્તિઓને આપવામાં આવેલ છે. કોવિડ ટેસ્ટ ગ્રામ્ય લેવલે 201408, દર 8 વ્યક્તિએ એક જણનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સત્વરે પોઝીટીવ કેસ શોધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને કોવિડનો પ્રસાર થતો અટકાવવામાં આવ્યો છે. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઇએ કે કોરોના વાયરસથી બચવા માટે  છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકીશુ તથા માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. તેમ આરોગ્ય શાખા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(12:07 am IST)